ભચાઉ નવા બસ સ્ટેશનની આંખમાં મોતિયો,કોઈ ઈલાજ કરશે?

0
ભચાઉ નવા બસ સ્ટેશનની આંખમાં મોતિયો,કોઈ ઈલાજ કરશે?
    ભચાઉ શહેરમાં આવેલ બસ સ્ટેશન પર લાગેલ CCTV ચાલુ છે પણ રેકોડિંગમાં કંઈ દેખાતો નાં હોય તે લોક ચર્ચા રહી રહી છે ચોરી જેવાં બનાવો બનતા હોય છે પણ કોઈ પુરાવા નાં હોવાના કારણે કોઈ સખ્સ પોલીસની પકડમાં પણ માંથી આવતો. બસ સ્ટેશનની અંદર થી બાઈક ચોરી,મોબાઈલ ચોરી જેવા બનાવો અવર નવર બનતા હોય છે તંત્ર કે આ વિસ્તારના ધારાસભ્ય સમસ્યાનો નિકાલ લાવશે ? ભચાઉ શહેરમાં આવેલ બસ સ્ટેશનની ત્રીજી આંખમાં મોતિયાનો ઈલાજ ક્યાં નેતા કરશે ? કે પછી નેતા ખાલી ફોટા પાડ્યા વેસ્ત રહશે..

વાગડ સૌથી આગળ સેમા ?
   ભચાઉ શહેરમાં આમતો અનેક જગ્યા એ સીસીટીવી કેમેરા બંધ છે તે સામાન્ય બાબત છે પણ ભચાઉના પ્રવેશ દ્વાર અને હજારો લોકોની અવર જવર એટલે ભચાઉનો નવો આધુનિક બસ સ્ટેશન જેનો ઉદધાટન હાલના કેન્દ્ર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ હતો ગુજરાતમાં ત્રીસ વર્ષ થયા ભાજપની સરકાર હોવા છતાં ચૂંટણી આવે ત્યારે મોટા વચનો આપવામાં આવે છે. અને ઉદધાટનનો ચૂંટણી આવે ત્યારે થતાં હોય છે. અને જે કામ થયા હોય તેની દરકાર (સાળ સંભળા) ક્યારે લેવામા આવતી નથી જેના કારણે વાગડના વિકાસ રુદાય છે. છાસવારે ભચાઉ બસ સ્ટેશન જતાં નેતાઓને ક્યારે? ST નાં જવાબદાર અધિકારી ઓને પૂછ્યું ? કે ડેપો માં કઈ કમી છે ? અને છેલ્લા છ મહિના થી સીસીટીવી કેમેરા બંધ જેવી હાલત માં છે જેના કારણે ભચાઉ વિસ્તાર માંથી કોઈ પણ ગુનો કરી અને નીકળી જવું હોય તો ST મોકળુ મેદાન હોય તેવું લાગે છે. શું આ વિસ્તારના ચૂંટાયેલ નેતાઓ ચૂંટણી આવે ત્યારે ખાલી આવશે તે પ્રજાના પ્રશ્નનો માટે સમય મળશે ? તો જવાબદાર અધિકારી અને જવાબદાર નેતાઓ ભચાઉ પ્રવેશ દ્વારા ST ડેપોમાં સીસીટીવી કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top