પાંડવો સાથે જેનો ઈતિહાસ જોડાયેલો છે તેવા પૌરાણિક ગણેશ ટીંબી પર ગણેશજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા

0
કચ્છની ધરા એટલે અનેક યુગો અને પૌરાણિક અને ઐતિહાસિક બનાવો સાથે જોડાયે એક આગવો વિસ્તાર જ્યાં રામાયણ કાળના ખુદ રાવણ આ ધરતી પર આવેલ છે તો મહાભારત યુગના પાંચ પાંડવો પણ આ ધરતી પર વિચરણ કરી ગયા હોવાના પુરાવા આજ પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે અને પાંડવોના આ વિચ રણ સાથે જોડાયેલી અનેક જગ્યાઓ, કચ્છના ભચાઉ નજીક આવેલ પૌરાણિક જગ્યા એટલે ગણેશ ટીંબી ભચાઉ પ્રથમ વખત જે જગ્યાએ વસ્યું તે જગ્યા એટલે ગણેશની ટીંબી અને તેની બાજુમાં જ આવેલ છે ભીમ ગુડો એટલે કે લોકવાયકા મુજબ પાંચ પાંડવો વીચરી રહ્યા હતા અને જ્યાં પાણીની તરસ લાગી પાણીની જરૂરત જણાઈ ત્યાં ભીમે પોતાનો ગુડો જમીન પર માર્યો અને ત્યાં નાની તલાવડી કે ખાડો પડ્યો તે જગ્યા કચ્છના ઘણી જગ્યાએ જોવા મળે છે આવી જ એક જગ્યા ભચાઉ થી ચાર કિલોમીટર દૂર દરિયા કાંઠે વિસ્તાર બાજુ આવેલી છે બીજી એક લોક વાયકા મુજબ આ જગ્યા સમરસતા સાથે પણ એટલી જ જોડાયેલી છે કારણકે આરાધ્ય દેવ ધણી માતંગ દેવ પણ આ જગ્યા ઉપર આવી ચૂક્યા છે અને ગણેશજી નું પૂજન અર્ચન કરી નિવાસ કરેલ હતું અને ભચાઉ શહેરના જુના લોકો વડીલો કહેતા કે દરિયા ની કાઠા પટ્ટી તરફ ભચાઉ પહેલાં ગણેશ ટીંબી નજીક વસેલું હતું ત્યારબાદ ડુંગર ઉપર અને તેનો પહેલો વાસ પીલુથરીયા વાસ તરીકે ઓળખાયો હતો 
     આ પૌરાણિક અને ઐતિહાસિક ભૂમિ પર જે જગ્યાએ રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજીનું નાનું મંદિર આવેલું હતું તે જગ્યા પર ગણેશ ટીંબી વિકાસ ટ્રસ્ટ અને મંદિર નવનિર્માણ સમિતિ ના કાર્યકર્તાઓની દિવસ રાતની મહેનત બાદ એક ભવ્ય મંદિર આકાર લઈ ચૂક્યું છે અને જેમાં મુખ્ય આર્થિક ફાળો ભચાઉ ના પટેલ સમાજ ના આગેવાન યુવાન ભરતભાઈ ખીમજીભાઈ કાવતરા પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે જેમણે ₹35 લાખથી વધુના ખર્ચે આ મંદિર નિર્માણ કરવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે તે ઉપરાંત ભચાઉ શહેરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ દાન આપીને મંદિર નિર્માણ કરવામાં આગળ આવી રહ્યા છે
           ગણેશ ટીંબી મંદિર નવનિર્માણ સમિતિના વિકાસભાઈ રાજગોર, શૈલેષભાઈ પ્રજાપતિ, ભાવેશ બાવાજી, ખીમજીભાઈ પ્રજાપતિ, હશુંભાઈ દરજી, ગીરીશભાઈ દરજી, હિરેનભાઈ દરજી, અરવિંદસિંહ જાડેજા તેમજ વિવિધ સમાજના યુવાન કાર્યકર્તાઓ અને આગેવાનો મંદિર નવનિર્માણ અને આ જગ્યાના નવનિર્માણ માટે વર્ષોથી જોડાયેલા રહી શહેરને એક ઐતિહાસિક અને ફરવા લાયક જગ્યા આપેલી છે અને ગણેશ પર બનેલ ભવ્ય મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આગામી ભાદરવા સુદ ત્રીજ ચોથ ના તારીખ 26 અને 27 ના યોજાવાની છે જેમાં સમસ્ત ગ્રામજનોને હાજરી આપવા અને મહાપ્રસાદ માં જોડાવાનું આમંત્રણ પણ અપાયું છે 
    ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન ભરતભાઈ કાવતરા પરિવાર પણ વર્ષોથી આ જગ્યા સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે અને તેમની શ્રદ્ધા થી પ્રેરાઇ ને ગણેશજીના ભવ્ય મંદિર નિર્માણ માં 35 લાખ જેવી રકમ તેમના દ્વારા આપવામાં આવી છે તે સાથે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવ માં ભોજન ના દાતા તરીકે હિનાબેન હીરજી ફટક પટેલ પરિવારે સેવા નો લાભ લીધો છે 
       ગણેશ ટીંબી નવનિર્માણ કાર્યમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા સહિત પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી પૃર્વ નગરપાલિકા પ્રમુખ અશોકસિંહ ઝાલા,તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પણ આ જગ્યાના નવનિર્માણ માટે સરકારી ગ્રાન્ટો લાવવામાં પણ ખૂબ સહયોગી રહ્યા છે અને તેમના દ્વારા પણ સતત સહયોગ અપાતો રહ્યો છે ત્યારે આ જગ્યા ઐતિહાસિક અને પૌરાણિક હોવા છતાં તેનું મહત્વ આજ દિવસ સુધી ઘટ્યું નથી અને દિવસો દિવસ લોકોની શ્રદ્ધા આ જગ્યા સાથે જોડાઈ રહી છે
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top