ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર, પ્રભાવશાળી દબાણકારો સામે મૌન કેમ? SDMના હુકમ છતાં કાર્યવાહી શૂન્ય હોવાના આક્ષેપ

0
ગાંધીધામ તાલુકાના પડાણા ગામમાં સરકારી પડતર તથા ગૌચર જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા ગુજરાત જાહેર જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ સંબંધિત લોકોને નોટિસો પાઠવવામાં આવી છે. નોટિસમાં દબાણ તાત્કાલિક દૂર કરવા, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે નોટિસ આપ્યા બાદ પણ કેટલાક સ્થળોએ કથિત ગેરકાયદેસર દબાણો યથાવત હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે તંત્રની કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગરીબોના ઝૂંપડા, નાના મકાનો અથવા અન્ય નાના દબાણો સામે તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા મોટા દબાણકારો સામે સમાન ગતિએ કાર્યવાહી થતી નથી એવી ધારણા લોકોમાં જોવા મળી રહી છે.લોકોમાં ઉઠી રહેલા મુખ્ય પ્રશ્નો આ મુજબ છે:
1)નોટિસ આપ્યા બાદ પણ કથિત દબાણો યથાવત કેમ?
2)શું કાર્યવાહી કરવામાં કોઈ પ્રકારનો વિલંબ થઈ રહ્યો છે?
3)શું કાયદાનો અમલ તમામ માટે સમાન રીતે થઈ રહ્યો છે?
4)જો દબાણ ગેરકાયદેસર છે, તો તેને દૂર કરવામાં વિલંબનું કારણ શું?
સ્થાનિક નાગરિકો જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર દબાણો સામે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના, પારદર્શક અને નિષ્પક્ષ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top