"વચ્ચે આવશો તો જાનથી મારી નાખીશું"સુરત મહાનગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓને જાન થી મારી નાખવાની ધમકી

0
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ નજીક બે મહિલાઓ સહિત એક ઈસમે ઢોર ડબ્બાના કર્મચારીઓને જાહેરમાં દાતરડું બતાવી "વચ્ચે આવ્યા તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં બની હતી. સુરત મહાનગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓ તેમની ફરજ પર હતા અને રસ્તા પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન, અચાનક બે મહિલાઓ અને એક પુરુષ ત્યાં ધસી આવ્યા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ત્રણેય ઈસમોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહિલાઓમાંથી એકે દાતરડું બહાર કાઢી ઢોર ડબ્બાના કર્મચારીઓ પર તાક્યું હતું અને તેમને ધમકાવતા કહ્યું હતું કે, "જો વચ્ચે આવશો તો જાનથી મારી નાખીશું." આ દ્રશ્યો જોઈને કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જાહેરમાં થયેલા આ હુમલા અને ધમકીના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.


બયૂરો ચીફ 
સુનીલ ગાંજાવાલા સુરત
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top