AAPમાં આંતરિક ભંગાણ: 3 રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા
April 24, 2026
0
નવી દિલ્હી: રાજકીય ક્ષેત્રમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ Raghav Chadha, Sandeep Pathak અને Ashok Mittalએ પાર્ટીમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિધિવત રીતે જોડાયા છે.ત્રણેય નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પાર્ટી હવે તેના મૂળ આદર્શો અને સિદ્ધાંતોથી દૂર ચાલી ગઈ છે, જેના કારણે તેઓએ આ કઠોર નિર્ણય લીધો છે. Raghav Chadhaએ જણાવ્યું કે તેમણે વર્ષો સુધી પાર્ટી માટે કામ કર્યું, પરંતુ હવે પાર્ટીની દિશા તેમને સ્વીકાર્ય નથી.સાથે જ તેમણે દાવો કર્યો કે રાજ્યસભામાં પાર્ટીના બે-તૃતિયાંશ સભ્યો તેમની સાથે છે અને તેઓ બંધારણીય જોગવાઈઓ મુજબ ભાજપમાં વિલીનીકરણ તરફ આગળ વધશે.આ ઘટનાને કારણે Arvind Kejriwalના નેતૃત્વ હેઠળની AAP માટે રાજકીય પડકારો વધી શકે છે અને આવનારા સમયમાં તેની અસર રાજકારણ પર સ્પષ્ટ જોવા મળી શકે છે.
Share to other apps

