સુરત ખાલી થવાની શરૂઆત,2 કિમીની લાઈન:આજે ટ્રેનમાં 25 હજાર લોકો રવાના

0
સુરત ખાલી થવાની શરૂઆત, 2 કિમીની લાઈન:આજે ટ્રેનમાં 25 હજાર લોકો રવાના, રાત્રે વધુ એક ટ્રેન જાહેર, પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ;ભીડમાં મહિલાઓ અને બાળકો પિસાયા
સુરત10 કલાક પેહલા,દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને આ વર્ષે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધનાથી આજે યુપી બિહાર તરફની છ જેટલી ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં 20000થી 25000 જેટલા લોકો પોતાના વતન તરફ ગયા હતા. આ સાથે જ બપોરે 1 વાગ્યા આસપાસ કોઈ ટ્રેન ન હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, લોકો ત્યાંથી હટવા માટે તૈયાર ન હતા. જેને પગલે રાત્રે એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી.લોકો 12-12 કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ભારે ભીડમાં મહિલાઓ અને બાળકોને પિસાવાનો વારો આવ્યો હતો. જોકે, મહિલાઓ અને બાળકોને રેલવે પોલીસે અલગથી ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ મહિલાઓ અને બાળકોને ચારથી પાંચ કલાક જેટલો સમય હેરાન પરેશાન થવું પડ્યું હતું.

રિપોર્ટર ક્રિશાગ ગાંજાવાલા સુરત
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top